
ભાવનગર, તા.15 મે 2020, શુક્રવાર
ભાવનગર જિલ્લામાં કોરોનાના દર્દીઓના સંપર્કમાં આવનાર વ્યકિતઓને કોરોન્ટાઈન કરવામાં આવતા હોય છે. આ ઉપરાંત સાવચેતીના ભાગરૂપે બહારગામથી આવતા લોકોને હોમ કોરોન્ટાઈન કરવામાં આવતા હોય છે. ભાવનગર શહેરની સમરસ હોસ્ટેલમાં હાલ ર૮૬ વ્યકિત કોરોન્ટાઈન છે, જેમાં મોટાભાગના લોકો કોરોના પોઝિટિવ દર્દીના પરિવારના સભ્ય છે, જયારે દર્દીના સંપર્કમાં આવેલ તેમજ બહારગામથી આવેલ ૬૦,૪૧૩ લોકોને હોમ કોરોન્ટાઈન કરાયા છે. ૧૪પ૧ વ્યકિતના ૧૪ દિવસના હોમ કોરોન્ટાઈન પૂર્ણ થયા છે તેમ સરકારી સુત્રોએ જણાવેલ છે.
from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/36265DT
No comments:
Post a Comment