ભુજ, શુક્રવાર
સ્કુલવાનમાં સુરક્ષાના સાધનોને લઈને દાખવાતી બેદરકારીના કારણે હવે વહીવટીતંત્રે રીક્ષાચાલકો સામે ગાંધીગીરી કરવાનો નિર્ણય લીધો છે. જે અનુસાર ભુજ- માધાપર વિસ્તારમાં શાળાના બાળકો માટે અલાયદી સીટીબસ સેવા શરૃ કરાશે. બાળકોની સલામતી માટે આરટીઓ, ટ્રાફીક પોલીસ સહિતના તંત્ર દ્વારા આ નિર્ણય કરાયો હતો.
આ અંગે આરટીઓ અિધકારી દ્વારા માહિતી અપાઈ હતી કે, શાળાએ તાથા ટયુશને જતાં બાળકો સલામત રીતે ગંતવ્ય સૃથાને પહોંચી શકે તે માટે આ નિર્ણય લેવાયો છે. જેમાં ભુજાથી માધાપર એરીયા સુાધી ખાસ સીટીબસ દોડાવાશે. જેમાં બાળકોના વાલીઓ સીટી બસના સંચાલકોનો સંપર્ક કરી રૃ.૩૫૦ના અનલીમીટેડ માસીક પાસમાં બાળકોને મુકી શકશે. બાળકોની સલામતી માટે આરટીઓ, ટ્રાફીક પોલીસ સહિતના તંત્ર દ્વારા આ નિર્ણય કરાયો હતો.
from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JvJiFB
No comments:
Post a Comment