રાજ્યની સૌથી લાંબી ગાંધીનગરની દિવ્ય રથયાત્રાનો ભવ્ય ઇતિહાસ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 30 June 2019

રાજ્યની સૌથી લાંબી ગાંધીનગરની દિવ્ય રથયાત્રાનો ભવ્ય ઇતિહાસ


- ભક્તોના ઘોડાપુર વચ્ચે નગરની પ્રથમ રથયાત્રા એક ઉંટલારીમાં ગોદડા પાથરીને ભગવાનને બિરાજમાન કરી નિકાળી હતી

ગાંધીનગર, તા. 30 જૂન 2019, રવિવાર

રથયાત્રાની વાત આવે એટલે પ્રથમ જગન્નાથ પુરી અને બાદમાં અમદાવાદની રથયાત્રા માનસપટ પર આવે પરંતુ એક સમય હતો રથયાત્રા આવવાની હોય તે વખતે અમદાવાદમાં નાના મોટા કોમી રમખાણો થતા હતા જેથી રથયાત્રા સમયે સ્થિતિ ખુબ જ તંગ રહેતી હતી ત્યારે વર્ષ ૧૯૮૫માં આવી અતિસંવેદનશીલ સ્થિતિ વચ્ચે સરકાર અને પોલીસ તંત્રએ પણ રથયાત્રા નહીં નિકાળવા માટે કહીં દિધું હતું અને અમદાવાદમાં કરફ્યુ લાદી દેવા ઉપરાંત જગન્નાથ મંદિર પાસે સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

આવી તંગ સ્થિતિમાં બપોર સુધી અમદાવાદની રથયાત્રા નિકળી ન હતી ત્યારે જાણે ભગવાને સ્વયંમ્ ગાંધીનગરની રથયાત્રા માટે પ્રેરણા આપી હોય તેમ પંચદેવ મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડયું હતું અને એકાએક રથયાત્રા નિકાળવાનું નક્કિ કરવામાં આવ્યું હતું. એ વખતે એક ઉંટલારીમાં ભગવાનને સવાર કરી રથયાત્રા નિકાળવામાં આવી હતી.

ગાંધીનગરની રથયાત્રા વર્ષ ૧૯૮૫થી શરૂ થઇ છે ત્યારે હાલની સ્થિતિએ ગુજરાતમાં સૌથી લાંબી ૩૧ કિલોમીટરની આ રથયાત્રા પ્રથમ તો નગરના સેક્ટર-૨૨માં જ ફરી હતી પરંતુ તે વખતે સ્થિતિ કંઇક અલગ જ હતી. આ રથયાત્રાના ભવ્ય ઇતિહાસ વાગોળતા પંચદેવ મંદિરના મહંત ફુલશંકર શાસ્ત્રીજી મહારાજે કહ્યું હતું કે, અમદાવાદમાં રથયાત્રા આવે તે વખતે કોમી રમખાણો થવા સામાન્ય હતા પરંતુ વર્ષ ૧૯૮૫માં સ્થિતિ ખુબ જ તંગ થઇ ગઇ હતી. એક બાજુ સરકાર અને વહિવટી તંત્ર, પોલીસ તો બીજીબાજુ અમદાવાદ જગન્નાથજી મંદિરના ટ્રસ્ટી મંડળ અને મહંત હતા.

સરકાર, ટ્રસ્ટી અને મહંત વચ્ચે તે વખતે રથયાત્રાને લઇને ખુબ જ લાંબી બેઠક થઇ હતી જેમાં સરકાર અને ટ્રસ્ટી મંડળ દ્વારા રથયાત્રા નહીં નિકાળવાનું નક્કિ કરવામાં આવ્યું હતું જ્યારે મહંતે 'મારો જગન્નાથ નગરની ચર્યાએ નિકળશે જ' તેવી હઠ લઇને બેઠા હતા. મહંતની ભ્રહ્મહઠ પુરી ન થાય અને સ્થિતિ વધુ વણશે નહીં તે માટે અમદાવાદમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો હતો અને જગન્નાથજી મંદિર પાસે વધુ પોલીસ બંદોબસ્ત  ગોઠવી દેવામાં આવ્યો હતો.

સવારથી બોપર થઇ તેમ છતા અમદાવાદમાં રથયાત્રા નિકળી ન હતી કે નિકળવાની સંભાવના પણ ભક્તોએ છોડી દિધી હતી ત્યારે જાણે ભગવાન જગન્નાથે ગાંધીનગરના શ્રધ્ધાળુઓને પ્રેરણા કરી હોય તેમ તે વખતે નગરના એક માત્ર મંદિર પંચદેવ મંદિરમાં બપોર સુધીમાં ભક્તો ઉમટી પડયા હતા. ત્યાં સુધી ગાંધીનગરમાં રથયાત્રા નિકળવાનું કોઇ આયોજન પણ ન હતું પરંતુ ભક્તો, તે વખતના આગેવાનો અને મંદિરના સભ્યોએ ગાંધીનગરમાં રથયાત્રા કાઢવાનું તાત્કાલિક નક્કિ કર્યું હતું.

ભક્તિના ઉન્માદમાં તે વખતે રથયાત્રા નિકાળવાનું નક્કિ કરીને તાત્કાલિક એક ઉંટલારી બોલાવવામાં આવી હતી અને તેના ઉપર ગોદડા પાથરીને ભગવાનને બિરાજમાન કરવામાં આવ્યા હતા. તે વખતે સારથી સ્વયંમ્ રથે ચઢ્યો હતો અને પ્રથમ રથયાત્રાના પૈડાં દોડયા હતા. તે વખતે સેક્ટર-૨૨ અને આસપાસના વિસ્તારમાં રથયાત્રા નિકળી હતી. ત્યાર બાદના વર્ષોમાં રથયાત્રા મહોત્સવ સમિતિની રચના કરવામાં આવી અને રથયાત્રાની પવિત્ર પરંપરા છલ્લા ૩૫ વર્ષથી ચાલતી આવે છે.

૩૧ કિમી લાંબી હોવા ઉપરાંત ગાંધીનગરની આ રથયાત્રા કોમી સંદેશા સાથે નિકળે છે જેમાં તમામ ધર્મ -કોમના ભાઇ-બહેનો જોડાય છે. એકરીતે આ રથયાત્રા લોકોત્સવ બની ગઇ હોય તેમ લાગી રહ્યું છે. આ વખેત તા.૪ જુલાઇના રોજ પંચદેવ મંદિરથી સવારે ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રા અને ભાઇ બલબદ્ર સાથે નવા રથમાં સવાર થઇને નગરની ચર્યાએ નિકળશે. 



from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JjYyVZ

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages