
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 26 મે 2019, રવિવાર
કાજોલ રૃપેરી પડદે છેલ્લે પ્રદીપ સરકારની ૨૦૧૮ની 'હેલીકોપ્ટર ઇલા'માં જોવા મળી હતી.પતિ અજય સાથે આગામી ફિલ્મ 'તાનાજી ઃ ધ અનસંગ વોરિયર 'માં જોવા મળશે. અને હવે રેણુકા શહાણેની આગામી ફિલ્મ 'ત્રિભંગા'માં કામ કરવાની છે તેવી ચર્ચા થઇ રહી છે. આ ફિલ્મમાં શબાના આઝમી તેમજ મિથિલા પાલકર કામ કરી રહ્યા છે. મિથિલાએ ગયા વરસે જ ઇરફાન ખાન અને દલકીર સલમાન અભિનિત 'કારંવા'થી બોલીવૂડમાં ડેબ્યુ કર્યું છે.
'' રેણુકા શહાણે થોડા મહિનાઓથી કાજોલ સાથે આ પ્રોજેક્ટ બાબત થોડા મહિનાઓથી વાતચીત કરી હતી. તેને આ ફિલ્મની સ્ક્રિપ્ટ અને વિષય પસંદ પડયો છે, અને તે કામ કરવા રાજી થઇ છે. જલદી જ કાજોલ સાથેની ફોર્માલિટી પૂરી કરવામાં આવશે.આ ફિલ્મ એક જ પરિવારની અલગ અલગ વય અન ેપેઢીની ત્રણ મહિલાઓની આસપાસ ફરે છે. રેણુકા હાલ સ્ક્રિપ્ટ પર કામ કરી રહી છે, જેણે પણ આ સ્ક્રિપ્ટ વાંચી છે તેણે સારો રિસપોન્સ આપ્યો છે, તેમ ફિલ્મ સાથે સંકળાયેલા સૂત્રે જણાવ્યું હતું.
આ ફિલ્મને સિદ્ધાર્થ પી મલ્હોત્રા નિર્માણ કરવાનો છે. રેણુકા દસ વરસ બાદ દિગ્દર્શન ક્ષેત્રે ફરી સક્રિય થઇ રહી છે. આ પહેલાં ૨૦૦૯માં રેણુકાએ મરાઠી ડ્રામા 'રીટા'નું દિગ્દર્શન કર્યુ ંહતું જેમાં જેકી શ્રોફ અને પલ્વી જોશીએ કામ કર્યુ ંહતું.
આ ફિલ્મનું સંપૂર્ણ શૂટિંગ મુંબઇમાં કરવામાં આવશે. આ વરસના અંતમાં શૂટિંગ શરૃ થાય તેવી શક્યતા છે. રેણુકાનો પતિ આશુતોષ રાણા આ ફિલ્મમાં મહત્વનો રોલ કરે તેવી શક્યતા છે, તેમ સૂત્રે વધુમાં કહ્યું હતું.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IaEKE3
No comments:
Post a Comment