
(પીટીઆઈ) પોર્ટ બ્લેયર, તા. 25 મે, 2019, શનિવાર
ભારતીય હવામાનશાસ્ત્ર વિભાગના અહેવાલ પ્રમાણે શનિવારે વહેલી સવારે આંદામાન દ્વીપ ઉપર ૫.૦ રિક્ટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
રિપોર્ટ પ્રમાણે વહેલી સવારે ૨:૫૨ કલાકે આંદામાનની ધરતી ધુ્રજી ઉઠી હતી અને તેનું કેન્દ્ર જમીનમાં ૧૦ કિમી ઉંડે હતું. જો કે સદનસીબે હજુ સુધી ભૂકંપને કારણે જાન-માલનું નુકસાન કે સામાન્ય ઈજાના બનાવો પણ સામે નથી આવ્યા. આંદામાન ટાપુ પર તાજેતરમાં જ ગત ૨૧ અને ૨૨ મેના રોજ અનુક્રમે ૪.૧ અને ૫.૬ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા જેથી ફરીથી ધરતીકંપની સંભાવના તીવ્ર જણાઈ રહી હતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Ws78dN
No comments:
Post a Comment