
અમદાવાદ, 23 મે 2019, ગુરુવાર
મંગળવારનો દિવસ હનુમાનજીને પ્રસન્ન કરવા માટેનો હોય છે. આ દિવસને મંગળદેવને પણ પ્રસન્ન કરવા માટે પણ ઉત્તમ ગણવામાં આવે છે. જે જાતકોની કુંડળીમાં મંગળ દોષ હોય છે તેમને મંગળને પ્રસન્ન કરવાની વધારે જરૂર હોય છે. મંગળ દેવને પ્રસન્ન કરવા ખૂબ સરળ પણ છે. મંગળવારના દિવસે સૌથી પહેલા તો એવા કામ કરવાનું ટાળવું જે મંગળદેવને પસંદ ન હોય. આ કામ એવા છે જેને મંગળવારે કરવાથી વ્યક્તિને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તો ચાલો સૌથી પહેલા જાણી લો કે કયા એવા કામ છે જેને મંગળવારે કરવા જોઈએ નહીં.
મંગળવારના દિવસે વાળ કપાવવા જોઈએ નહીં અને નખ પણ કાપવા નહીં. જો મંગળવારે આ કામ કરવામાં આવે તો મંગળ ગ્રહનો કોપ વધે છે અને ઘરમાં દરિદ્રતા આવે છે.
મંગળવારે અડદની કાળી દાળ ખાવી કે ઘરમાં બનાવવી નહીં. શાસ્ત્રો અનુસાર આ દિવસે કાળ દાળ ખાવાથી વ્યક્તિને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
આ દિવસે કાળી વસ્તુ, શ્રૃંગારનો સામાન, લોઢાનો સામાન અને ધારદાર વસ્તુઓ ખરીદવી નહીં. જો મંગળવારે આ વસ્તુઓ ખરીદવામાં આવે તો તેનાથી ઘરમાં નકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે.
મંગળવારે પૈસાની લેતી દેતી કરવાનું પણ ટાળવું. આ દિવસે પૈસાની લેવડ દેવડ કરવાથી ધન હાનિ જ થાય છે.
from Astro News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2wdRxjd
No comments:
Post a Comment