
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 4 મે 2019, શનિવાર
નાશિકમાં ખરાબ થઈ ગયેલા જ્વારા ખાધા બાદ ખોરાકી ઝેરની અસર થતા ૧૭ ગાય અને ચાર ભેંસના મોત થયા હતા.
નાશિકના સિન્નર તાલુકામાં કોમલવાડી ખાતે આ ઘટના બની હતી. અહીં ખેતરમાં જ્વારા કાપીને રાખવામાં આવ્યા હતા, પણ હાલ વરસાદને લીધે જ્વારા ખરાબ થઈ ગયા હતા. આ જ્વારા ખાધા બાદ ૧૭ ગાય અને ચાર ભેંસની તબીયત બગડી ગઈ હતી. તેમના મોઢામાંથી ફીમ આવવા લાગ્યા હતા. છેવટે તેમના મોત નીપજ્યા હતા. ડોક્ટરે ગાય અને ભેંસના પોસ્ટમોર્ટમ કર્યા છે. ખોરાકી ઝેરને લીધે તેમના મોત થયા હોવાનું પ્રાથમિક તપાસમાં માલૂમ પડયું છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vzYVVY
No comments:
Post a Comment