ચિલોડા બ્રીજની સમાંતર બીજો બ્રીજ પણ બનાવવામાં આવશે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 28 March 2019

ચિલોડા બ્રીજની સમાંતર બીજો બ્રીજ પણ બનાવવામાં આવશે

ગાંધીનગર,તા.24 માર્ચ 2019,રવિવાર

ચિલોડાથી સરખેજ માર્ગને સંપૂર્ણ સિક્સ લેન કરવાના ભાગરૃપે છ જગ્યાએ ફ્લાયઓવર બનાવવામાં આવનાર છે. કરોડોના આ પ્રોજેકટની કામગીરી યુધ્ધના ધોરણે ચાલી રહી છે તેવી સ્થિતિમાં ગાંધીનગર ચિલોડાને જોડતાં સાબરમતી નદી ઉપરના પુલની પહોળાઈ વધારવામાં આવશે.

એટલે કે આ બ્રિજને સમાંતર નવો બ્રીજ ઉભો કરવાની પણ વિચારણા છે તો બીજી બાજુ અડાલજ પાસે આવેલી નર્મદા કેનાલ ઉપરના પુલને પણ પહોળો કરાશે. આ બન્ને બ્રીજ બનાવવા માટે રાજય સરકાર કેન્દ્ર સરકાર મંજુરી માંગશે. જો કે હાલ આચારસંહિતાના દિવસોમાં આ મંજુરી અંગે કોઇ નિર્ણય નહીં આવે.

ચિલોડા- ગાંધીનગર - સરખેજ માર્ગને સંપુર્ણ સીક્સલેન કરવાના પ્રોજેક્ટની કામગીરી હાલ ચાલી રહી છે. નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા અહીં આસપાસના વૃક્ષો કાપીને માર્ગ પહોળા કરવાની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. ત્યારે આ રૃટ ઉપર ઘ-૦, સરગાસણ, ઉવારસદ, ખોડીયાર તેમજ વૈષ્ણવદેવી ચાર રસ્તા પાસે ઓવરબ્રીજ બનાવવામાં આવનાર છે.

આગામી ૫૦ વર્ષને ધ્યાનમાં રાખીને આ રોડ ઉપર વાહનોના ટ્રાફિક પ્રમાણે ડિઝાઇન હાથ ધરી છે. ત્યારે આ માર્ગ ઉપર સાબરમતી નદી અને નર્મદા કેનાલ પણ આવે છે. અડાલજ પાસે આવેલી નર્મદા કેનાલને અનુલક્ષીને ૧૮ મીટરની પહોળાઇ અને ૬૫ મીટરની લંબાઇનો બ્રીજ હાલ હયાત છે. ત્યારે આગામી દિવસ આ બ્રીજને સમાંતર વધુ એક બ્રીજ નિર્માણ કરાશે.

આવી જ રીતે ગાંધીનગર નજીકથી પસાર થતી સાબરમતી નદી ઉપર ચિલોડા બ્રીજ આવેલો છે. આ બ્રીજ ૪૦૦ મીટર લાંબો છે જ્યારે ૧૮મીટર પહોળો છે. ત્યારે આ પ્રોજેક્ટ અંતર્ગત બ્રીજને પણ પહોળો કરવાની વિચારણા છે. જે અંતર્ગત અહીં પણ નવો બ્રીજ બનાવવામાં આવશે. આમ ચિલોડા-સાબરમતી નદી ઉપર તેમજ અડાલજ નર્મદા કેનાલ ઉપર એક - એક બ્રીજ બનાવવાની ડિઝાઇન હાથ ધરાઇ છે. જો કે આ અંગે કેન્દ્ર સરકારમાંથી મંજુરી માંગવામાં આવશે. મંજુરી મળ્યા બાદ આ કામગીરી કરાશે. 



from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TZqWoC

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages