ફાઇનાન્સ કું.માંથી લોન લીધા બાદ વારંવાર ઉઘરાણી થતા હીરાના ધંધાર્થીનો આપઘાત - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 1 March 2019

ફાઇનાન્સ કું.માંથી લોન લીધા બાદ વારંવાર ઉઘરાણી થતા હીરાના ધંધાર્થીનો આપઘાત


(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 28 ફેબ્રુઆરી 2019, ગુરુવાર

બે દિવસ પહેલા ઘરેથી નીકળી ગયેલા હીરાના ધંધાર્થી યુવાને સરથાણાના સીમાડા ગામ ખાતે જાહેરમાં ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું હતુ.ં   ફાયનાન્સ કંપનીમાંથી લોન લીધા બાદ કંપનીના માણસો યુવાન પાસે વારંવાર ઉઘરાણી  કરતા હતાશ થઈને આ પગલું ભર્યું હતું.

સ્મીમેર હોસ્પિટલ થી મળેલી વિગત મુજબ સરથાણાના સીમાડાગામમાં આવેલી જય ભવાની સોસાયટીમાં રહેતા ૩૦ વર્ષીય મેહુલ ભાઈ કલ્યાણભાઈ અકબરી ગઈ તા.૨૬ મી સવારે ઘરેથી કામ છે જવાનું કહીને બહાર નીકળ્યા હતા. બાદમાં ગઇકાલે સવારે મેહુલભાઈ તેમના પરિવારના સભ્યોને ફોન કરીને જાણ કરી હતી કે હું સીમાડા ગામમાં આર.એન ભાયાણી સ્કૂલ પાસે ઝેરી દવા પી ગયો છું. જેથી તેના પરિવારના સભ્યો તરત ત્યાં પહોંચી હતા. જોકે, ત્યારે તે મૃત હાલતમાં મળ્યા હતા. પરિવારના સભ્યોએ સરથાણા પોલીસને જાણ કરી હતી.

તપાસકર્તા સરથાણા પોલીસસૂત્રોએ જણાવ્યું હતું કે સીમાડાગામમાં ખાતેની કેપિટલ ફર્સ્ટ ફાયનાન્સ કંપનીમાંથી મેહુલ ભાઈ લોન લીધી હતી. ત્યારબાદ આ કંપનીના માણસો પેૈસા માટે વારંવારં  તેમની પાસે  ઉઘરાણી કરતા હતા. જેનાથી કંટાળી જઈને તેમણે આ પગલું ભર્યું હતુ. મેહુલભાઈ મૂળ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દુધાળા હતા. તે હીરાના કામ સાથે સંકળાયેલા હતા.



from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TbNdyT

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages