જવાહર ચાવડાને પ્રવાસન-મત્સ્યોદ્યોગ, યોગેશ પટેલને નર્મદા-શહેરી ગૃહ નિર્માણ, ધર્મેન્દ્રસિંહને પુરવઠા - કુટિર ઉદ્યોગ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 11 March 2019

જવાહર ચાવડાને પ્રવાસન-મત્સ્યોદ્યોગ, યોગેશ પટેલને નર્મદા-શહેરી ગૃહ નિર્માણ, ધર્મેન્દ્રસિંહને પુરવઠા - કુટિર ઉદ્યોગ


આર.સી. ફળદુ, ગણપત વસાવા, બચુ ખાબડના ખાતાં છીનવાયાં

અમદાવાદ, તા.10 માર્ચ, 2019, રવિવાર

મંત્રીમંડળનુ વિસ્તરણ કરાતાં ત્રણ નવા મંત્રીઓનો ઉમેરો કરાયો છે.એક કેબિનેટ પ્રધાન સહિત બે રાજ્યકક્ષાના મંત્રી બનાવાયાં છે જેમને રવિવારે મોડી સાંજે ખાતાઓની ફાળવણી કરવામાં આવી હતી. કેબિનેટ મંત્રી જવાહર ચાવડાને પ્રવાસન અને મત્સ્યોદ્યોગની જવાબદારી સુપરત કરાઇ છે.

કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલાં ધર્મેન્દ્રસિંહ જાડેજાને રાજ્યકક્ષાના અન્ન પુરવઠા,ગ્રાહકસુરક્ષા અને કુટિર ઉદ્યોગ સોંપવામાં આવ્યુ છે.કેબિનેટમંત્રી જયેશ રાદડિયાના કામભારની વહેંચણી કરવામાં આવી છે. આ બાજુ,મંત્રી ગણપત વસાવા પાસેથી પ્રવાસન જયારે મંત્રી આર.સી.ફળદુ પાસેથી મત્સ્યોદ્યોગ ખાતુ છિનવી લેવાયુ હતું. આ બંન્ને ખાતા કેબિનેટ મંત્રી જવાહર ચાવડાને સોંપાયા છે.

રાજ્યકક્ષાના મંત્રી યોગેશ પટેલને નર્મદા અને શહેરી ગૃહનિર્માણ ખાતુ સોંપવામાં આવ્યુ છે. અગાઉ રાજ્યકક્ષાના મંત્રી બચુ ખાબડ પાસે શહેરી ગૃહવિકાસ નિર્માણ ખાતુ હતું.રાજ્યકક્ષાના મંત્રી વાસણ આહિર પાસે માત્ર સમાજીક પછાત વર્ગોનુ કલ્યાણ વિભાગની જવાબદારી હતી પણ તેમને પ્રવાસનનો રાજ્યકક્ષાનો હવાલો પણ સુપરત કરવામાં આવ્યો છે. નવનિયુક્ત ત્રણેય મંત્રીઓ સોમવારે સ્વર્ણિમ સંકુલમાં પદભાર સંભાળશે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2J455aq

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages