વડોદરા, તારીખ 5 ફેબ્રુઆરી 2019 મંગળવાર
આવકવેરા વિભાગને ચાલુ નાણાકીય વર્ષમાં આવકનો ટાર્ગેટ 5334 કરોડનો અપાયો છે. જેની સામે અત્યાર સુધીમાં 3610 કરોડની આવક થઈ છે. આમ આવકનો ટાર્ગેટ હાંસલ કરવા હજી 2,224 કરોડની ઘટ છે. જેથી જે લોકોએ હજી બાકી આવકવેરો ભર્યો નથી તેવા કરદાતાઓને વેરો ભરી દેવા આવકવેરા વિભાગ દ્વારા જણાવાયું છે. જેણે આવકવેરો ભરવો જોઈએ તે ભરતા નથી ,જે આવકવેરાનું રિટર્ન ફાઈલ કરે છે તે વેરો ચુકવતા નથી,અને જે લોકો સેલ્ફ એસેસમેન્ટ કરે છે, તેઓ પણ વેરો આપતા નથી. વેરો નહીં ભરવો તે ગુનો છે અને તેમાં આવકવેરા ખાતું એક્શન લઇ શકે છે. 1 વર્ષની સજા પણ થઈ શકે છે. રિટર્ન ફાઇલ ન કરવું તે પણ ગુનો બને છે બાકી આવકવેરો નહીં ભરાય તો આવકવેરા ખાતું એક્શન લઈ શકે છે તેવો ગર્ભિત ઇશારો ખાતાએ આપ્યો છે.
દરમિયાન વડોદરા આવકવેરા વિભાગના મુખ્ય આવકવેરા કમિશનર ડોક્ટર રણન્જયસિંહનું કેવું છે કે આવકવેરા વિભાગનો વડોદરા નો ટાર્ગેટ ગ્રોથ ૧૨ ટકા છે. પરંતુ અત્યારની
સ્થિતિએ 8 ટકા જ પહોંચી શક્યો છે. જે વેરો હજુ ભરાયો નથી તેમાં મોટો હિસ્સો એડવાન્સ ટેક્સ ભરવાનો હોય તે બાકી હોવાનું જણાયું છે. તેમણે જણાવ્યું હતું કે 31 જાન્યુઆરી સુધીમાં વડોદરા વિભાગ ૮૩ સર્વે કર્યા હતા, જેમાંથી ૪૪ કરોડ ૨૬ લાખ ની આવક બિનહિસાબી મળી હતી, ને લોકોએ આ રકમ કબૂલ કરી હતી. સર્વેમાં એવા લોકો પણ મળી આવ્યા હતા.એડવાન્સ ટેક્સ ગયા વર્ષે દોઢ લાખ કરદાતાએ ભર્યો હતો આ વર્ષે તે સંખ્યા ઘણી ઓછી છે. જેમણે એડવાન્સ ટેક્સ ભરવાનો હતોતેમણે પણ ટેક્ક્ષ ભર્યો ન હતો. તંત્ર એ જણાવ્યું છે કે જેટલા લોકોને એડવાન્સ ટેક્સ ભરવાનો બાકી છે તે જલદીથી ભરી દે. એડવાન્સ ટેક્સ ગયા વર્ષે દોઢ લાખ કરદાતાએ ભર્યો હતો આ વર્ષે તે સંખ્યા ઘણી ઓછી છે.
અત્યાર સુધીમાં 3610 કરોડની આવક થઈ છે, તે ટીડીએસ સાથે ગણતા 6200 કરોડ થાય છે
from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GdmVFQ
No comments:
Post a Comment