અમદાવાદ,શનિવાર
રખિયાલમાં રહેતી મહિલાના લગ્નના ચાર વર્ષમાં સંસાર પડી ભાંગ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. માતા-પિતાના કહેવાથી લગ્ન કર્યા છે કહીને પતિ ઝઘડો કરીને મારઝૂડ કરતો હતો. પતિ સહિત સાસરિયાઓએ પરિણીતા અને તેના ભાઇને માર મારી અને પતિએ ત્રણ વખત તલ્લાક બોલીને છુટાછેડા આપ્યા હતા. આ બનાવ અંગે રખિયાલ પોલીસે પતિ સહિત છ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
માતા-પિતાના કહેવાથી લગ્ન કર્યા કહી પતિ ત્રાસ આપતો ઃ રખિયાલ પોલીસે પતિ સહિત સાસરિયા સામે ગુનો નોંધ્યો
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/An3ML1v
No comments:
Post a Comment