અમદાવાદ,બુધવાર
કાલુપુર રેલવે સ્ટેશન પર પુરી-ગાંધીધામ ટ્રેન આવી ત્યારે શંકાસ્પદ રીતે બે યુવકોને રેલવે પોલીસે ઝડપીને તપાસ તેમની પાસે રહેલા સામાનમાંથી ૧૭ લાખની કિંંમતનો ૩૪ કિલો ગાંજો મળી આવ્યો હતો. આ અંગે રેલવે એસઓજીએ તપાસ શરૂ કરી છે.
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર પુરી-ગાંધીધામ ટ્રેન પહોંચી ત્યારે રેલવે એસઓજીનો સ્ટાફ ટ્રેનમાંથી ઉતરી રહેલા શંકાસ્પદ પેસેન્જરો પર નજર રાખતા હતા. તે સમયે બે યુવકો બે મોટા થેલા લઇને બહાર નીકળતા હતા. જેથી પોલીસે તેમને રોકતા બંને સામાન મુકીને નાસ્યા હતા.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/Nh3l7yG
No comments:
Post a Comment