અમદાવાદ, શુક્રવાર
ગૃહકલેશના કારણેદાણીલીમડાની મહિલાનો લગ્નના ૧૮ વર્ષ બાદ સુખી સંસાર પડી ભાંગ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં પતિને અન્ય સ્ત્રી સાથે આડા સંબંધની જાણ થતાં પતિએ તુ અહીથી પિયરમાં જતી રહી મારે જોઇતી નથી કહીને માર મારીને પહેરે કપડે કાઢી મૂકી હતી. આ બનાવ અંગે દાણીલીમડા પોલીસે પતિ સહિત ચાર લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
દાણીલીમડાની મહિલા સાથે લગ્નના બે વર્ષ સારુ રાખ્યું મારમારી પહેરે કપડે કાઢી મૂકતા દસ મહિનાથી પિયરમાં
દાણીલીમડામાં રહેતી ૩૨ વર્ષની મહિલાએ વટવામાં રહેતા પતિ સાથે ૧૮ વર્ષ પહેલા સમાજના રિતી રિવાજ મુજબ લગ્ન કર્યા હતા લગ્નના બે વર્ષ સુધી સારી રીતે રાખતા હતા ત્યારબાદ કામકાજ બાબતે તકરાર કરીને માનસિક તેમજ શારિરીક ત્રાસ આપતા હતા.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/NrsWzuT
No comments:
Post a Comment