અમદાવાદ, બુધવાર
પીપળજ પિરાણા રોડ ઉપર ચાની કિટલી પાસે ૨૦ દિવસ પહેલા બસ ચાલકે એક્ટિવાને ટક્કર મારતાં એક સગીરનું ટાયર નીચે કચડાતા મોત થયું હતું, જ્યારે વાહન ચલાવનાર સગીર ઘાયલ થયો હતો. અકસ્માતના આ બનાવમાં ટ્રાફિક કે ડિવિઝન પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે તપાસ કરતાં એક્ટિવા સગીર ચલાવતો હતો જેથી પોલીસે સગીર પુત્ર પાસે ડ્રાઇવિંગ લાયસન્સ ના હોવા છતાં વાહન ચલાવવા આપવા બદલે તેના પિતા સામે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.
બે સગીર મોપેડ પર જતા હતા બસની ટક્કરથી એકનું મોત થયું હતું ઃ નારોલના શખ્સે લાયસન્સ વગર પુત્રને એક્ટિવા ચલાવવા આપતા પોલીસે ગુનો નોંધ્યો
પીપળજ પિરાણા રોડ ઉપર તા. ૫ માર્ચના રોજ બસ ચાલકે એક્ટિવાને ટક્કર મારતાં એક સગીરનું ટાયર નીચે કચડાતા મોત થયું હતું, આ અકસ્માત કેસની તપાસ કરતા ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એફ.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/IElQxM6
No comments:
Post a Comment