
મુંબઇ,તા.14 નવેમ્બર, 2020, શનિવાર
નવા વર્ષથી રાજ્ય સરકારે તમામ ધાર્મિક સ્થળો ખોલવાની પરવાનગી આપી છે. એટલે શિર્ડીના સાઇબાબાના મંદિર સહિત તમામ મંદિરોમાં ભકતોની ભીડ થતી નિવારવા માટે વ્યવસ્થા કરવાનો સરકારે અનુરોધ કર્યો છે.
શિર્ડી સાઇબાબા સંસ્થાન તરફથી બહારગામના ભકતોને ઓનલાઇન આગોતરા ઓનલાઇન બુકિંગ કરાવવાનો અનુરોધ કર્યો છે. એક સાથે ભકતોનો ધસારો ન થાય માટે એડવાન્સ ઓનલાઇન બુકિંગ કરાવવાની અપીલ કરવામાં આવી છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3njAvZw
No comments:
Post a Comment