દિવાળી નિમિતે બકરીઓને તળાવમાં નહાવા લઇ ગયેલા 3 ભાઇનું પાણીમાં ડૂબી જતા મોત - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 14 November 2020

દિવાળી નિમિતે બકરીઓને તળાવમાં નહાવા લઇ ગયેલા 3 ભાઇનું પાણીમાં ડૂબી જતા મોત



મુંબઇ,તા.14  નવેમ્બર, 2020, શનિવાર

દિવાળીની પરંપરા મુજબ ભંડારામાં બકરીઓને તળાવમાં નહાવા લઇ ગયેલા ત્રણ ભાઇ પાણીમાં ડૂબી ગયા હતા. આ બનાવને લીધે શોકની લાગણી પ્રસરી ગઇ હતી.

ભંડારાના લાખાંદૂર ખાતે પુયારમાં આ બનાવ બન્યો હતો દિવાળી હોવાથી ત્રણ ભાઇ મધુકર મેશ્રામ (ઉ.વ.૪૨), સુધાકર, પ્રદીપ આજે સવારે તેમને બકરીઓને તળાવમાં નહાવા માટે લઇ ગયા હતા. ત્યારે પાણીની ઊંડાઇનો અંદાજ ન આવતા મધુકર ડૂબવા લાગ્યો હતો.

તેને બચાવવા સુધાકર અને પ્રદીપ તળાવમાં ગયા હતા. પણ  ત્રણ ભાઇનું પાણીમાં ડૂબી જતા મોત થયુ હતુ. આ બનાવ બાદ મેશ્રામ પરિવાર અને ગામના લોકોએ ઘટનાસ્થળે જઇ તળાવમાંથી મૃતદેહો બહાર કાઢયા હતા. પોલીસે મામલાની નોંધ લઇ વધુ તપાસ  શરૃ કરી હતી.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38HoZ67

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages