સુશાંત સિંહ રાજપૂત પ્રકરણે રિયા ચક્રવર્તી સહિત અન્યોની સીબીઆઇ પોલીગ્રાફ ટેસ્ટ કરે તેવી શકયતા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 29 August 2020

સુશાંત સિંહ રાજપૂત પ્રકરણે રિયા ચક્રવર્તી સહિત અન્યોની સીબીઆઇ પોલીગ્રાફ ટેસ્ટ કરે તેવી શકયતા


મુંબઇ,તા.29 ઓગષ્ટ, 2020, શનિવાર

સુશાંત રાજપૂત આત્મહત્યા પ્રકરણે સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી સહિત અન્યોની સીબીઆઇ  પોલીગ્રાફ ટેસ્ટ કરશે. આ સંદર્ભે સીબીઆઇના અધિકારીઓએ એકમેક સાથે ચર્ચા કરી લીધી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. આ પોલીગ્રાફ ટેસ્ટ માટે રિયા સહિત અન્યોની  દિલ્લી મોકલવાની તૈયારી પણ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. હાલ સીબીઆઇ મુંબઇમાં આ કેસ સાથએ જોડાયેલા લોકોની સઘન પૂછતાછ કરી રહી છે. એક - બે દિવસમાં આ બાબતે અંતિમ નિર્ણય લેવામાં આવશે. રિયાની સાથે જ શોવિક, સિધ્ધાર્થ પિઠાની, નિરજ, સેમ્યુઅલ મિરાન્ડાની પણ પોલીગ્રાફ ટેસ્ટ થાય તેવી શકયતા વર્તાવવામાં આવે છે.

સીબીઆઇ દ્વારા મોટા ભાગના હાઇ પ્રોફાઇલ કેસમાં પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવે છે. જોકે આ ટેસ્ટ માટે તેની પોલીગ્રાફ ટેસ્ટ કરવાની હોય તેની સંમતિ જરૃરી હોય છે. આ સિવાય આ ટેસ્ટ માટે જયુડિશિયલ મેજીસ્ટ્રેટની પરવાનગી પણ આળશયક છે. સીબીઆઇને મુખ્ય સાક્ષીઓ યોગ્ય જવાબ અને સહકાર આપી રહ્યા નથી તેથી આ ટેસ્ટનથી સીબીઆઇને તપાસમાં ઘણી સરળતા બની રહેશે.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34MpF8q

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages