શાસ્ત્રોમાં કહેવાયું છે કે વ્યક્તિએ કદી કેટલાક ખાસ લોકોનો મુકાબલો ના કરવો જોઈએ. જો માણસ એમનો સામનો કરે તો એણે હારનો સામનો કરવો પડે છે. ાથે જ સામનો કરનાર માણસ પાપનો ભાગીદાર બની જાય છે. આખરે કોણ છે એ લોકો જેમનો સામનો ના કરવો જોઈએ....

શાસ્ત્ર કહે છે કે વયસ્કનો સામનો ના કરવો જોઈએ. જો કોઈ વ્યક્તિ તેમની બરાબરી કરવાનો પ્રયત્ન કરે તો એની હાર જ થાય છે. કારણ કે જે માણસ વડીલોનું સમ્માન નથી કરતો તેને કોઈ કામમાં સફળતા નથી મળતી. શાસ્ત્ર કહે છે કે જે માણસે વજન ઉપાડ્યું હોય તેનો સામનો ના કરવો જોઈએ. જે માણસ પહેલાથી બોઝ હેઠળ દબાયેલો હોય તેને જો કોઈ હેરાન કરે તો કરનારને તકલીફોનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત શાસ્ત્ર કહે છે કે દર્દી સાથે કોઈપણ બાબતે મુકાબલો ના કરવો જોઈએ. આનાથી દર્દીને તકલીફ થાય છે અને તકલીફ આપનાર કષ્ટનો ભાગીદાર બને છે. ખરેખર તો બીમારી માણસની મદદ કરવી જોઈએ.
( આ લેખમાં આપેલી માહિતી ધાર્મિક આસ્થાઓ અને લૌકિક માન્યતાઓ પર આધારિત છે. જેને માત્ર લોકોના રસને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)
from Astro News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2M2cetm
No comments:
Post a Comment