
નવ દિવસમાં સેન્સેક્સમાં 1941 જ્યારે નિફ્ટીમાં 700 પોઇન્ટનો ઘટાડો
અમેરિકા-ચીન વચ્ચે તીવ્ર બનતું વેપાર યુદ્ધ, ભારતીય કંપનીઓનાં નબળા પરિણામ, ક્રૂડના ભાવ વધવાને કારણે પણ શેરબજારમાં ઘટાડો
મુંબઇ, તા. 13 મે, 2019, સોમવાર
લોકસભા ચૂંટણીના પરિણામ આગામી ૨૩ મેના રોજ આવનારા છે પણ તે પહેલા ભારતીય શેરબજારમાં ઉથલપાથલ જોવા મળી રહી છે. ચૂંટણી પરિણામમાં સ્પષ્ટ બહુમતીવાળી સરકાર ન બનવાના ભયે અને ચીન-અમેરિકા વચ્ચેનું વેપાર યુદ્ધ વધુ તીવ્ર બનવાને કારણે ભારતીય શેર બજારમાં ૩૦ એપ્રિલ પછી સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.
૩૦ એપ્રિલે સેન્સેક્સ ૩૯૦૩૧ના સ્તરે બંધ થયો હતો. જે ઘટીને ૧૩ મેના રોજ ૩૭૦૯૦ના સ્તરે બંધ થયો છે. એટલે કે નવ દિવસમાં સેન્સેક્સમાં ૧૯૪૧ પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો છે. બીજી તરફ નિફટી પણ ૧૧૭૪૮ના સ્તરેથી ઘટીને ૧૧૧૪૮ના સ્તરે આવી ગઇ છે. એટલે કે નિફટીમાં પણ ૭૦૦ પોઇન્ટ જેટલો ઘટાડો જોવા મળ્યો છે. જે બે મહિનાની નીચલી સપાટી છે.
શેરબજારમાં ઘટાડાનું સૌથી મોટું કારણ રાજકીય અસ્થિરતા છે. ભારતીય લોકસભા ચૂંટણીના પરિણામ ૨૩ મેના રોજ આવવાના છે. ચૂંટણી પરિણામમાં કોઇ પણ પક્ષને સ્પષ્ટ બહુમતિ નહીં મળે તેવો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે.
જેના કારણે રોકાણારોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. આંકડા અનુસાર ૩ મહિના સુધી સતત રોકાણ કર્યા પછી મેના શરૃઆતના સાત દિવસોમાં વિદેશી રોકાણકારોએ બજારમાંથી ૩૨૦૭ કરોડ રૃપિયા કાઢી લીધા છે. જો કે અમેરિકા-ચીન વચ્ચે તીવ્ર બનતું વેપાર યુદ્ધ, ભારતીય કંપનીઓના નબળા પરિણામ, ક્રૂડના ભાવ વધવાને કારણે પણ શેરબજાર ઘટી રહ્યું છે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VE5AOb
No comments:
Post a Comment