તમે કોઈને અનહદ ચાહો છો અને તેની સાથે લગ્ન કરવા માગો છો પણ તમારા ઘરના લોકો રાજી નથી. આવા લોકો માટે રાજસ્થાનના જોધપુરમાં ભગવાન ગણેશનું એક ચમત્કારી મંદિર આવેલું છે. માન્યતા છે કે ત્યાં પ્રેમીઓ ત્યાં પ્રાર્થના કરે તો એમની ઇચ્છા પૂર્ણ થાય છે. તેથી જ આ મંદિરનું નામ ઇશ્કિયા ગજાનન મંદિર પડયું છે. એ જ રીતે લગ્નઇચ્છુક લોકો અહિની બાધા રાખે તો એમના યોગ્ય પાત્ર સાથે લગ્ન થાય છે.

પહેલા આ મંદિર ગુરુ ગણપતિના નામે ઓળખાતુ હતું અને લગ્ન પહેલા જ કપલ અહીં ગણેશજીના દર્શને આવતા. એ પછી લગ્નઇચ્છુક પ્રેમીઓ પણ અહીં આવવા લાગ્યાં. જેમાના ઘણાં લોકોની ઇચ્છા ભગવાને પૂર્ણ કરી એટલે મંદિર ઇશ્કિયા મંદિર તરીકે ફેમસ થવા લાગ્યું. દર બુધવારે અહીં શ્રદ્ધાળુઓ વધારે આવે છે.
from Astro News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WrxI6T
No comments:
Post a Comment