હોળીનો તહેવાર વર્ષના અગત્યના તહેવારોમાનો એક છે. નાના-મોટા બધા એને હર્ષોલ્લાસથી ઉજવે છે. હોલિકા દહનના બીજા દિવસે એટલે કે ધૂળેટીએ લાલ, પીળા અને ગુલાબીરંગોથી વાતાવરણ ખુશનુમા થાય છે. હોળીનો તહેવાર ફાગણ માસની પૂનમે હોળાષ્ટક પતે એટલે હાલિકા દહન થશે અને 21 ધૂળેટી ઉજવાશે.

ભદ્રાકાળમાં કેમ નથી થતુ હોલિકાદહન
આનું કારણ એ છે કે ભદ્રાનો વાસ આકાશ,પાતાળ અને મૃત્યુલોક એમ ત્રણ જગ્યાએ હોય છે. જો ભદ્રા આકાશ અને પાતાળમાં હોય ત્યારે હોળિકા દહન થાય તો કોઈ વાંધો ના આવે પરંતુ જો એ વખતે મૃત્યુલોકમાં હોય તો આ કાળમાં હોલિકા દહન કરવાનું કાળ બની શકે છે. આ સમયે પૂજા કરનાર સાથે દુર્ઘટના થઇ શકે છે.
હોળી પૂજનના મૂહુર્ત
2019ના હોળિકા દહનના શુભ મૂહુર્ત - 20:58 થી 24:23 સુધી
હોળિકા દહન ભદ્રા વિચાર
ભદ્રા પૂંછ – 17:34 થી 18:35
ભદ્રા મુખ -– 18:35 से 20:17
દહન વખતના નિયમ
ધર્માશાસ્ત્રો મુજબ નીટેના ત્રણ નિયમોનું હોલિકા દહન વખતે ખાસ ધ્યાન રાખવું જોઈએ.
1. ફાગણ સુદ પૂનમ
2. રાતનો સમય
3. ભદ્રા વીતી ગઈ હોય
from Lifestyle fashion News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FjzufN
No comments:
Post a Comment