જમીન દલાલ પાસે હરિભક્તિનો પ્લોટ ખરીદનાર ધર્મવીરસિંહ ફરાર - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday 15 December 2018

જમીન દલાલ પાસે હરિભક્તિનો પ્લોટ ખરીદનાર ધર્મવીરસિંહ ફરાર


(પ્રતિનિધિદ્વારા)  વડોદરા,શુક્રવાર

એનઆરઆઇ મહિલાનો હરિભક્તિ સ્થિત પ્લોટ પચાવી પાડવાના પ્રકરણમાં પ્લોટ ખરીદનાર ધર્મવીરસિંહ ફરતે રહસ્ય વધુ ઘૂંટાયું છે.

આણંદના ભાટપુરા ગામના જમીન દલાલ દિલીપ શંકર પટેલ પાસે હરિભક્તિનો રૃા.૨.૫૦ કરોડની સરકારી જંત્રીનો પ્લોટ રૃા.૭૨ લાખમાં ખરીદનાર ધર્મવીરસિંહ જુવાનસિંહ જાડેજાને પોલીસ શોધી રહી છે. 

દિવાળીપુરાની આધ્યા રેસિડેન્સીમાં રહેતો ધર્મવીરસિંહ જમીન દલાલના સંપર્ક માં કેવી રીતે આવ્યો ? તેની પાસે નાણાં કેવી રીતે આવ્યા ? ધર્મવીરના કોની સાથે સંપર્કો છે ? દસ્તાવેજ કરાવવા પાછળ કોઇનો દોરી સંચાર છે કે કેમ ? જેવા પ્રશ્નાર્થ પોલીસ માટે તપાસનો વિષય  બન્યા છે.

ધર્મવીર પકડાય તો  કૌંભાંડ પર પ્રકાશ પડે તેમ હોઇ ક્રાઇમ બ્રાન્ચની ટીમે દિવાળીપુરાના રહેઠાણે છાપો માર્યો હતો.પરંતુ,ધર્મવીર પ્લોટનો વિવાદ છેડાયા પછી ફરાર થઇ ગયો હોવાનું જાણવા મળ્યું છે.

ધર્મેન્દ્રસિંહ અને વીર પટેલની આજે ફરીથી પૂછપરછ કરાશે

ક્રાઇમ બ્રાન્ચના સૂત્રોએ કહ્યું હતું કે,લોપાબેન દવે સાથે મીટિંગ કરનાર બહુચર્ચિત બિલ્ડર ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને લીલેરિયા પાર્ટી પ્લોટના સંચાલક વીર પટેલની પૂછપરછ કરવામાં આવી છે.

હજી અમે કોઇને ક્લિનચીટ આપી નથી અને આવતીકાલે ફરીથી બંનેને ક્રોસ વેરિફિકેશન માટે ફરીથી બોલાવવામાં આવશે.




from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Ce4jlz

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages