
સુશાંત સંબંધિત ડ્રગ કેસમાં રિયાને રાહત
એનસીબીએ ખાતાં સ્થગિત કરતી વખતે યોગ્ય કાનૂની પ્રક્રિયાનું પાલન નહિ કર્યાંનું અદાલતનું તારણ
મુંબઈ - મુંબઈની એક ખાસ કોર્ટે ડ્રગ્સ કેસમાં આરોપી અભિનેત્રી રિયા ચક્રવર્તી અને તેના ભાઈના બેંંક ખાતાઓ ડિફ્રીઝ કરવાનો આદેશ આપ્યો છે, કારણ કે એનસીબી એનડીપીએસ એક્ટ હેઠળ પ્રક્રિયાગત આવશ્યકતાઓનું પાલન કરવામાં નિષ્ફળ ગઈ છે.અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ સાથે જોડાયેલા ડ્રગ્સ સંબંધિત કેસની તપાસના ભાગ રૃપે નાર્કોેટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) એ બંનેના ખાતા ફ્રીઝ કરી દીધા હતા.
વકીલ દ્વારા રજૂ કરાયેલા રિયા અને તેના ભાઈ શોવિકે દલીલ કરી હતી કે એનસીબી નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (એનડીપીએસ) એક્ટ, ૧૯૮૫ ની કલમ ૬૮(એફ) (મિલકત જપ્ત કરવા અથવા ફ્રીઝ કરવા માટે) હેઠળ ફરજિયાત પ્રક્રિયાગત આવશ્યકતાઓનું પાલન કરવામાં નિષ્ફળ ગયું છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/ctiRgsx
No comments:
Post a Comment