અમદાવાદ, મંગળવાર
ઓઢવમાં સગીર છરી લઇને ત્રણ વખત સિગારેટ લેવા ગયો જેથી તકરરા થઇ હતી અને અવાર નવાર આ પ્રમાણેની દાદાગીરીને લઇને બે શખ્સોએ સગીરનું અપહરણ કર્યું હતું અને કારખાનાના ધાબા પર લઇ જઇને આખી રાત ગોંધી રાખીને પાઇપથી માર માર્યો હતો. ત્યારબાદ ઓઢવ ફાયર સ્ટેશન પાસે ઉતારીને જતા રહ્યા હતા. સગીર વહેસી સવારે ઘરે જઇને રડવા લાગ્યો હતો. આ બનાવ અંગે ઓઢવ પોલીસે બે લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સગીરને ઉતારીને આરોપીઓ ભાગી ગયા, વહેલી સવારે ઘરે જઇ રડવા લાગ્યો ઃ ઓઢવ પોલીસે બે લોકો સામે ગુનો નાંેધીને વધુ તપાસ હાથ ધરી
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/ahlX5ws
No comments:
Post a Comment