અમદાવાદ,બુધવાર
કૃષ્ણનગર વિસ્તારમાં બાપા સિતારામ ચોકથી ઝુડીયો જવાના રસ્તામાં અવાવરું સ્થળે આજે સાંજે એક યુવકની લાશ ઝાડ ઉપર લટકતી હતી. આ બનાવની જાણ થતાં કૃષ્ણનગર પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી. પોલીસે તપાસ કરતાં ઓરિસ્સાનો સ્વાઇન નામનો ૩૫ વર્ષનો યુવક હોવાનું જાણવા મળ્યું હતું.
કૃષ્ણનગર પોલીસે અકસ્મમાતે મોત ગુનો નોંધી હત્યાની આશંકા આધારે તપાસ હાથ ધરી
પોલીસ તપાસમાં મૃતક યુવક મજૂરી કામ કરતો હતો અને અગમ્ય કારણોસર આપઘાત કર્યો હોવાનું બહાર આવ્યું હતું.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/L4Ol9fY
No comments:
Post a Comment