કાલુપુર સ્વામીનારાયણ મંદિરના સાધુ પરિણીત મહિલાને લઈને ભાગી જતા ચકચાર - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday 6 March 2019

કાલુપુર સ્વામીનારાયણ મંદિરના સાધુ પરિણીત મહિલાને લઈને ભાગી જતા ચકચાર

અમદાવાદ, 5 માર્ચ 2019, મંગળવાર

કાલુપુર સ્વામીનારાયણ મંદિરના સ્વામી માધવપ્રિયદાસ મહેસાણાના ડાંગરવામાં રહેતી એક પરિણીત મહિલાને લઈને ભાગી જતા ચકચાર મચી છે. સાધુના કરતુતને પગલે તેમનું નામ સ્વામીનારાયણ સંપ્રદાયના ત્યાગી પત્રકમાંથી કમી કરાયું હતું. અગાઉ તેમની વર્તુણુક બાબતે સંસ્થા દ્વારા તેમને ચેતવણી આપવા થતા તેમનામાં સુધારો આવ્યો ન હતો.  

આ બનાવની વિગત મુજબ મહેસાણાના ટાંકિયા મુકામે રહેતા સ્વામી માધવપ્રિયદાસ ૧ માર્ચના રોજ ડાંગરવા ગામની  પરિણીત મહિલાને લઈને મંદિર છોડીને ભાગી ગયા હતા. માધવપ્રિયદાસના ડાંગરવા ગામમાં રહેતા શિષ્યોએ આ અંગે મંદિરને જાણ કરી હતી.

માધવપ્રિયદાસનું પુર્વાશ્રમનું નામ મહિપાલસિંહ રાજેન્દ્રસિંહ વાઘેલા અને તે માણસાના વતની હતા. કાલુપુર સ્વામીનારાયણ મંદિર દ્વારા આ બનાવ અંગે પત્ર બહાર પાડીને માધવપ્રિયદાસનું નામ સ્વામીનારાયણ સંપ્રદાયના ત્યાગી પત્રકમાંથી ત્યાગી તરીકેનું નામ 

કમી કરવામાં આવ્યું હોવાનું જણાવાયું હતું. તે સિવાય આ સ્વામીની વર્તુણુક બાબતે સંસ્થા દ્વારા અવારનવાર ચેતવણી આપવા છતા તેમનામાં કોઈ સુધારો થયો ન હતો. ૧૦ વર્ષ અગાઉ તેમણે દિક્ષા લીધી હતી.




from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VyUWni

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages