અમદાવાદ, તા. 5 માર્ચે, 2019, મંગળવાર
નિકોલમાં રહેતી મહિલાએ સગર્ભાને પેટમાં લાત મારી હતી જ્યાં છોડવાની કોશિષ કરનારા પાવૈયાને મહિલાના પતિએ ચાકુના ઘા માર્યા હતા. નિકોલ પોલીસ દંપતિ સામે ખૂનની કોશિષનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં અંગત અદાવતમાં પડોશી વચ્ચે તકરાર થઇ હતી.
નિકોલમાં ન્યું ઇન્ડિયા કોલોની પાસે લાલકૃષ્ણ એપાર્ટમેન્ટ રહેતા નીલુમાસી જોધસિંહ પાવૈયાએ નિકોલ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોધાવી છે કે તા. ૩ના રોજ સાંજે તેઓ અને તેમની બહેનપણી મનીષાબહેન સોનારા એપાર્ટમેન્ટના ઝાંપે ઉભા હતા તેમના પડોશમાં રહેતા વર્ષાબહેન તથા તેમના પતિ જીગ્નેશભાઇ રાઠોડ આવ્યા હતા.
વર્ષાબહેનએ આવીને મનીષાબહેનને કહ્યું તું કેમ અહિયાં આવે છે તેમ કહીને બોલાચાલી કરીને મહિલા સગર્ભા હોવાની જાણ છતાં પેટમાં લાત મારી હતી. પાવૈયાએ વચ્ચે પડીને કેમ મારો છો તેમ કહેતા વર્ષાબહેન ઘરે જઇને અસ્ત્રો લઇને આવીને પાવૈયા પર હુમલો કર્યો હતો આ સમયે તેમના પતિએ પણ ચાકુના ઘા માર્યો હતો ગંભીર રીતે ઘવાયેલા નીલુમાસીને સારવાર માટે સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે નિકોલ પોલીસ સ્ટેશનના પીઆઇ, એચ.બી. ઝાલાના જણાવ્યા મુજબ અંગત અદાવતમાં માર મારી કરી હતી. પોલીસે વર્ષાબહેન રાઠોડ તથા તેમના પતિ જીગ્નેશભાઇ રાઠોડ સામે ખૂનની કોશિષનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VFFYfh
No comments:
Post a Comment