
અમદાવાદ, તા. 30 માર્ચ 2019 શનિવાર
ગાંધીનગર નજીકના અંબાલી ગામના ત્રણ, સાત અને આઠના વિદ્યાર્થીઓને બસ ભરીને અમદાવાદમાં લાવવામાં આવ્યા હતા. આ વિદ્યાર્થીઓ જે.કે.પટેલ સ્કૂલમાં અભ્યાસ કરે છે. તેઓને કેમ શા માટે લાવવામાં આવ્યા. તેની તેમને ખબર નહોતી.
રસ્તા ખાતે ભીડમાં છતાં એક સાઈડમાં તેઓ તડકામાં ઉભા હતા. આ વિદ્યાર્થીઓએ જણાવ્યું કે રસ્તામાં કે અહીં અમને પીવાનું પાણી કે નાસ્તો કશું જ અપાયું નથી. અમે ઘરેથી વોટરબેગ માં જે પાણી લાવ્યા હતા. તે પણ ખૂટી પડ્યું છે. આમ રાજકીય નેતાઓ પોતાના સ્વાર્થ માટે પોતાની રેલી કે જાહેર કાર્યક્રમોમાં નાના ભૂલકાઓને પણ લાવવાનું છોડતા નથી.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2I1BPiu
No comments:
Post a Comment