
નવી દિલ્હી, તા. 11 નવેમ્બર 2018, રવિવાર
ભારતીય સેનાના એક સિનિયર અધિકારીએ કહ્યું છે કે પાકિસ્તાનમાં આતંકવાદી માળખું બનેલું છે અને ભારતમાં ઘુસવા માટે LoC પાર લગભગ 160 આતંકવાદી રાહ જોઇ રહ્યાં છે. નાગોટા સ્થિત વ્હઇટ નાઇટ કોરના જનરલ કમાન્ડિંગ ઓફિસરનો પદભાર સંભાળનારા લેફ્ટનન્ટ જનરલ પરમજીત સિંહે તેમ પણ કહ્યું છે કે, સીમા પાર આતંકવાદ ત્યારે જ બંધ થશે જ્યાર પાકિસ્તાન પોતાની નીતિ અને મનસૂબા બદલશે.
તેમણે પોતાના ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, સેના પોતાની તૈયારીઓ બંધ નથી કરી રહ્યું અને ઘુસણખોરી વિરોધી માળખું ઘુસણખોરો પહોંતી વળવા મજબૂત છે. તેમણે વધુંમાં કહ્યું કે, પાકિસ્તાનના અલગ-અલગ સ્થળો પર 140 થી 160 આતંકવાદી રાજ્યમાં મોકલવામાં આવશે. આતંકી માળખું બનેલું છે અને પાકિસ્તાનનો મનસૂબો પણ બદલોયો નથી. ઘુસણખોરી અને આતંરી હુમલાઓનું ષડ્યંત્ર રચવામાં પાકિસ્તાની સેના અને ISIની મીલીભગત જાહેર છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Fi08sC
No comments:
Post a Comment