ભુજ, સોમવાર
ભુજના ભીડગેટ નજીક આવેલી ઘાસચારા માર્કેટમાં ફરી આજાથી ગટરનું પાણી ભરાવવાનું શરૃ થતાં અહી ચરવા આવતી ગાયોની દશા કફોડી બની છે.
પાણીના નાલામાંથી ધોધરૃપે ગટરનું પાણી પડતું હોવાથી ચારાના સૃથાને ગાય ગટરના પાણીમાં ડુબી ગઈ છે. સિૃથત એટલી વણસી છે કે, સેંકડો ગાયને ઉભવા માટે પણ જગ્યા બચી નાથી. ખાડા જેવા ભાગમાં પશુાધન હંમેશા પડયું પાર્થયું રહેતું હોય છે. પરંતુ થોડાસમય પહેલા બંધ થયેલી ગટર ફરી શરૃ થતા પાલીકાની કામગીરી સામે સવાલ ઉભા થયા છે. અગાઉ પણ આ મુદે વીપક્ષે બાંય ચડાવી હતી.ત્યારે નગરપ્રમુખ તાથા સીઓ દોડી આવીને વરસાદી નાળામાં ગટરના પાણી ન આવે તેમ કાર્યવાહી કરવા દિલાસો આપ્યો હતો. પરંતુ આ માત્ર નાટક હોય તેમ હજુપણ ગટરના પાણીના નિકાલની અન્ય કોઈ વ્યવસૃથા કરાઈ નાથી. જેના કારણે જેમ દેશલસર તળાવમાં ગટરના પાણી છોડવામાં આવે છે તેમ અહીં પણ ગટરનું પાણી છોડાઈ રહ્યું છે.જેને રોકવામાં આવે તેવી માંગણી જાગૃતો દ્વારા કરાઈ છે.
from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2uy8zYp
No comments:
Post a Comment