
ગાંધીનગર,તા. 1 ફેબ્રુઆરી 2019, શુક્રવાર
સરકારની વિવિધ યોજનાઓ હેઠળ બગાયત વિભાગ દ્વારા આપવામાં આવતી સહાયની અરજીઓ થઇ ગઇ છે અને તેને સ્થાનિક તંત્ર દ્વારા મંજુરી પણ આપી દેવામાં આવી છે. પરંતુ જરૂરી કાગળ અને પુરાવા ચાલુ સપ્તાહના અંત સુધીમાં નહીં પહોચાડવામાં આવે તો બગાયત ખેડૂતોએ કરેલી અરજી રદ થઇ જશે.
આ અંગે જિલ્લા નાયક બગાયત અધિકારીએ જણાવ્યું હતું કે ચાલું નાંણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ માટે બગાયત ખાતા દ્વારા ચાલતી યોજનાઓના વિવિધ ઘટકોમાં સહાય મેળવવા માટે ખેડૂતોએ આઇ ખેડૂત પોર્ટલમાં અગાઉ અરજી કરી હતી. જેમાંથી યોગ્ય ધોરણો અને નિયમમાં આવતી ઘણા ખેડૂતોને અરજી મંજુર કરવામાં આવી છે.
આ મંજુર કરવામાં આવેલા ખેડૂતોએ હવે સહાય સંબંધી વિવિધ સાધનીક કાગળો તેમજ પુરાવા ચાલુ સપ્તાહના અંતે એટલે કે તા.૭ ફેબુ્રઆરી ૨૦૧૯ પહેલાં નાયબ બગાયત નિયામકની કચેરી સહયોગ સંકુલ, પાંચમો માળ, સી-બ્લોક, સેક્ટર-૧૧ ખાતે પહોંચતાં કરવાનું પણ જણાવવામાં આવ્યું છે. એટલું જ નહીં સમય મર્યાદામાં સાધનીક કાગળો રજૂ કરવામાં નહીં આવે તો સીસ્ટમ મારફતે આપોઆપ બગાયડ ખેડૂતોએ કરેલી અરજી રદ થઇ જશે.
from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2SfXAS4
No comments:
Post a Comment