અમદાવાદ, તા. 25 મે 2019, શનિવાર
ગુજરાત ઉચ્ચતર માધ્યમિકના ધોરણ 12 કોમર્સનું આજે પરિણામ જાહેર થયું. પાલડી વિસ્તારમાં આવેલા સંસ્કાર કેન્દ્ર ખાતે શહેરના ટોપર્સ ભેગા થયા હતા. જોકે, વિદ્યાર્થીઓએ આજે પોતાના પરિણામની ઉજવણી કરવાને બદલે સુરતની ગોઝારી ઘટનામાં મૃતકને શ્રદ્ધાંજલિ આપી હતી.
સુરતના સરથાણામાં આવેલા એક ટ્યુશન ક્લાસીસમાં ગઇ કાલે લાગેલી આગમાં 19 વિદ્યાર્થીઓ જીવતા હોમાયા હતા. ગઇ કાલની ઘટનામાં મૃત્યુ પામેલ વિદ્યાર્થીઓમાંથી પાંચ વિદ્યાર્થીઓનું આજે પરિણામ આવ્યું હતું. જેમાં કૃતિ નામની વિદ્યાર્થિનીને ધો. 12માં 90.22 પર્સાઇન્ટાઇલ આવ્યાં છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Wm1wSp
No comments:
Post a Comment